મગફળીના કૌભાંડ મુદ્દે કેબિનેટ બેઠક બાદ જયેશ રાદડિયાએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યુ કે…

Published on: 4:27 pm, Wed, 23 December 20

આજ રોજ ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી અને આ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ ટેકાના ભાવે મગફળીની ખરીદી ને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે હાલમાં મગફળીની ખરીદી ચાલી રહી છે. ખેડૂત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી તરફ જૂનાગઢમાં મગફળીના કૌભાંડ મુદ્દે પણ તેમને મહત્વનું નિવેદન આપ્યું હતું.જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં કૌભાંડ મામલે તેમને એક નિવેદન આપ્યું હતું.

સાંભળી મગફળી મુદ્દે તપાસ કરવામાં આવશે અને છ ટ્રક બોરીઓ નબળી ગુણવત્તા ની પરત કરવામાં આવી છે. નબળી ગુણવત્તા ની મગફળી ની સફાઈ કરવામાં આવશે અને નાફેડ દ્વારા ચેકિંગ કરતા નબળી ગુણવત્તા ની મગફળી મળી આવી છે અને આ તમામ મગફળીના સ્ટ્રોકનું રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે.

મગફળીના 3331 કટ્ટા રિજેક્ટ થતાં સવાલો ઉભા થયા છે અને મગફળીની ખરીદી થાય ત્યારે મગફળી સારી હતી પરંતુ ગોડાઉનમાં ગયા બાદ મગફળી નબળી ગણાવી હતી. પાસેથી સારી ગુણવત્તાવાળી મગફળી ખરીદાય છે પરંતુ નબળી હોય.

તો તેને રિજેક્ટ કરવામાં આવે છે. ગોડાઉનને પોતાના મગફળી ની ગુણવત્તા નબળી થઈ જતા સવાલો ઉઠી રહ્યા છે અને અંદાજે 400 જેટલા ખેડૂતોના પૈસા અટકયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મગફળીના કૌભાંડ મુદ્દે કેબિનેટ બેઠક બાદ જયેશ રાદડિયાએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યુ કે…"

Leave a comment

Your email address will not be published.


*