દિવાળીના તહેવાર ઉપર ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર

Published on: 12:52 pm, Sun, 15 November 20

ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં બપોર પછી વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને નવસારીમાં તો વરસાદી ઝાપટું પણ પડયું હતું. સુરતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંદમાન નિકોબાર માં અપર એર સરક્યુલેશન સર્જાતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અને જો કે વરસાદ પડવાની સંભાવના નહિવત્ છે. અત્યારે ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે અને ખુલ્લા ખેતરમાં હજારો ટન ડાંગર પડ્યું છે. ત્યારે વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.શનિવારે વલસાડ જિલ્લાનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ.

અને છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં સૌથી નીચું તાપમાન વલસાડ જિલ્લામાં નોંધાયું હતું.સતત ચાર દિવસથી નીચા તાપમાને પગલે લોકોએ કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રોનું સહારો લેવો પડ્યો હતો.

ઉપરાંત સુરત જિલ્લામાં શનિવારે લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળીના તહેવાર ઉપર ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર"

Leave a comment

Your email address will not be published.


*