સુરેન્દ્રનગરમાં બે યુવકોએ માથાકૂટ કરીને 4 બાળકોના પિતાનો જીવ લઇ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 8:10 pm, Fri, 27 May 22

ગુજરાતમાં જીવ લેવાની અને જીવન ટૂંકાવવાની ઘટનાઓ છેલ્લા થોડાક દિવસોથી ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બે-ત્રણ દિવસ પહેલા સુરેન્દ્રનગરના વઢવાણમાં કારખાનામાં મજૂરી કામ કરતા યુવક પર બે યુવકો દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં મજૂરીકામ કરતા યુવકનું કરુણ મૃત્યુ થયું હતું.

આ ઘટના બનતા જ વઢવાણ પંથકમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે દારૂના નશામાં ન બોલવાના શબ્દોનો પ્રયોગના મામલે બે યુવકોએ બોથડ પદાર્થથી મજૂરીકામ કરતા યુવક પર પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં મજૂરીકામ કરતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા એવું લાગી રહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસેને દિવસે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે.

આ ઘટના બન્યા બાદ ઘણા સવાલો ઉભા થઇ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ ક્યાંથી આવ્યો. પોલીસે મજૂરીકામ કરતા યુવકનો જેવું લેનાર આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ કસ્તુરભાઈ હતું. તેમનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર કસ્તુરભાઈનું મૃત્યુ થતાં ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કસ્તુરભાઈને બે દીકરી અને બે દીકરા છે. જેમાં 16 વર્ષીય દીકરી જાનકી, 14 વર્ષીય શ્રદ્ધા, 12 વર્ષીય જયદીપ અને 7 વર્ષીય દેવ પિતા વગરના થઈ ગયા છે. કસ્તુરભાઈનું મૃત્યુ થતા પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલને મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો દોડી આવ્યા હતા. તેઓએ મૃત્યુ પામેલા કસ્તુરભાઈ ની પત્ની ની ફરિયાદ લેવાની તેમજ આરોપીઓની ધરપકડ કરવાની માગ કરી હતી. ત્યારબાદ કસ્તુરભાઈ ના મૃતદેહને સ્વીકારીને તેમની અંતિમવિધિ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરેન્દ્રનગરમાં બે યુવકોએ માથાકૂટ કરીને 4 બાળકોના પિતાનો જીવ લઇ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*