અમદાવાદમાં એક યુવકે રસ્તા પર એસિડ પીને પોતાનું જીવનને ટૂંકાવવી લીધું…જાણો યુવકને એવું તો શું થયું હશે કે આ પગલું ભર્યું…

Published on: 11:47 am, Mon, 29 August 22

મિત્રો અમદાવાદ શહેરમાં રહેતા એક યુવકે થોડા દિવસો પહેલા જાહેર રોડ પર એસિડ પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતાં મૃતકની પત્નીએ ચાર લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક જ્યાં મજૂરી કરતો હતો તે શેઠ માલા ભરાવડાવી વિડીયો લઈને ચોરીનો આરોપ યુવક પર મુકતા હતા.

એટલું જ નહીં પરંતુ આરોપીઓ મૃત્યુ પામેલા યુવકને ધમકીઓ આપતા હતા. જેના પગલે બદનામીના ડરના કારણે કંટાળીને યુવકે આ પગલું ભરી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના ગોમતીપુરમાં રહેતા રૂપાબેન ગોવિંદભાઈ પઠાણી તેમના પરિવારજનો સાથે રહે છે. તેમના પરિવારમાં બે દીકરીઓ અને એક દીકરો છે. જ્યારે તેમના પતિ છૂટક મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે.

મળતી માહિતી અનુસાર રૂપાબેનના પતિ ગોવિંદભાઈ એકાદ વર્ષ પહેલા ભરતભાઈ પઠાણીના લાકડાના પીઠામાં મજૂરી કામ કરતા હતા. ભરતભાઈના લાકડાના પીઠામાં તેમની સૂચના મુજબ જુદી જુદી જગ્યાએથી જુના લાકડાનો માલ સામાન ભરી છત્રીસ ઓરડી ખાતે ગોવિંદભાઈ લઈ આવતા હતા. એક વખત વિરાટ નગર ખાતે ભરતભાઈનું લાકડાનું પીઠાનું કારખાનું આવ્યું હોવાથી ત્યાંથી લાકડાનો જુનો સામાન ભરવા ગોવિંદભાઈને ભરતભાઈ રાયપુર થી વિરાટ નગર લઈ ગયા હતા.

જ્યાં ગોવિંદભાઈ જ્યારે લાકડાનો જુનો સામાન ભરાવી રહ્યા હતા ત્યારે ભરતભાઈ તેમનો વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ ભરતભાઈ ગોવિંદભાઈને બોલાવીને કહે છે કે, તેમનો માલ સામાન ચોરી કરી લઈ જાય છે. જેથી ગોવિંદના ભાઈ રાજુ એ પૂછપરછ કરતા ગોવિંદે જણાવ્યું હતું કે, ભરતભાઈના કહેવા મુજબ તેને આ લાકડા ભર્યા હતા. તેમણે પોતાની મરજી પ્રમાણે આ લાકડા ભર્યા નથી. ત્યારબાદ રાજુભાઈ એ આ વાતની જાણ ભરતભાઈ ને જણાવી હતી.

રાજુભાઈ ભરતભાઈ ને કહ્યું હતું કે તમે મારા ભાઈ ગોવિંદભાઈ નો ખોટી રીતે વિડીયો ઉતારીને તેમના પર ચોરીનો આક્ષેપ કરીને તેમને બદનામ કરો છો. ત્યારબાદ આ વાતની જાણ સમાજમાં થવા લાગી. ત્યારબાદ ભરતભાઈ દ્વારા ગોવિંદભાઈ ના પરિવાર અને ગોવિંદભાઈ ને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો.

જેના કારણે ગોવિંદભાઈ મજૂરી કામ છોડી દીધું અને પેન્ડલ રિક્ષામાં ડુંગળીનો વેપાર શરૂ કર્યો હતો. છતાં પણ ભરતભાઈ ગોવિંદભાઈ ને ખૂબ જ હેરાન કરતા હતા. જેના કારણે ગોવિંદભાઈ ખૂબ જ કંટાળી ગયા. જેના પગલે 24 ઓગસ્ટના રોજ ગોવિંદભાઈ જાહેરમાં એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 26 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન ગોવિંદભાઈ નું કરુણ મૃત્યુ હતું. પોલીસે આ સમગ્ર ઘટનાના ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં એક યુવકે રસ્તા પર એસિડ પીને પોતાનું જીવનને ટૂંકાવવી લીધું…જાણો યુવકને એવું તો શું થયું હશે કે આ પગલું ભર્યું…"

Leave a comment

Your email address will not be published.


*