થોડાક જ કલાકોમા ખેડૂત આંદોલન આવશે અંત,સરકાર ખેડૂતોની તમામ માગણીઓ પૂરી કરવા તૈયાર

દિલ્હીની બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ટૂંક જ સમયમાં સમાપ્ત થઈ શકે છે. સરકારે ખેડૂતો ઓપચારિક પત્ર લખ્યો છે જેમાં તમામ માગણીઓ સ્વીકારવામાં આવી છે. સરકારે ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવાની માંગ સ્વીકારી છે.

આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવામાં આવશે.પંજાબ, ઉત્તરપ્રદેશ હરિયાણા સરકાર આ પરિવારજનોને વળતર અને નોકરીની જાહેરાત કરી ચૂકી છે. સરકાર તરફથી આ પત્ર મળતાં ખેડૂતો સંપૂર્ણપણે સંતુષ્ટ છે

અને ટૂંક જ સમયમાં આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી શકે છે. સરકાર તરફથી સત્તાવાર પત્ર મળ્યો છે અને આ પત્ર સંયુકત મોરચાની બેઠકમાં મુકવામાં આવશે.તેમણે જણાવ્યું કે આ પત્ર હજુ સુધી ખોલવામાં આવ્યો નથી.અગાઉ સરકારે સાદા કાગળ પર ખેડૂતોને દરખાસ્ત મોકલી હતી.

બુધવારે પાંચ વરિષ્ઠ ખેડૂત નેતાઓએ સરકાર દ્વારા આપવામાં આવેલી નવી દરખાસ્ત અંગે ચર્ચા કરી હતી જેમાં હજારો ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ તાત્કાલિક પરત ખેંચવાની બાબતનો સમાવેશ થાય છે. સરકારે મંગળવારે સાંજે ખેડૂતોને પ્રસ્તાવ પણ મોકલ્યો હતો

જેમાં લઘુતમ ટેકાના ભાવની માંગણીઓ માટે એક સમિતિની રચના કરવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે આ પછી ખેડૂતો સતત આંદોલન દરમિયાન નોંધાયેલ પોલીસ કેસ પાછા ખેંચવાની માંગ કરી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*