ભાજપ સાંસદ ના રાજીનામાને લઈને સી.આર.પાટીલે આપ્યું મહત્વનું નિવેદન,જાણો વિગતે

Published on: 9:15 pm, Tue, 29 December 20

ગુજરાતમાં ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મનસુખ વસાવાએ રાજીનામા આપતો પત્ર લખી હોવાનો સ્વીકાર કર્યો હતો.રાજીનામાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું હતું.મારા સિનિયર સાંસદ છે અમને રાજી નથી આપ્યું તેમને રાજીનામું આપીશ એવું જણાવ્યું છે.

તેમની સાથે મુખ્યમંત્રી એ બેસીને ચર્ચા કરી છે. એમના મુદ્દાનું નિરાકરણ આવી જશે અને એમના વિસ્તારની જમીન છે, જેનો ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કર્યો છે.કેટલાક લોકો ભ્રમ ફેલાઇ રહ્યા છે અને તેમનો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.તમને ફરજ છે અને લોકો માટે એ લડી રહ્યા છે અને તે પાર્ટી ની સાથે છે.

તેમના પત્રમાં લખ્યું છે કે મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન થાય તે માટે હું રાજીનામું આપુ છું.ભારતીય જનતા પક્ષે મારી સમતા કરતા પણ વધુ મને આપ્યું છે અને જે માટે પક્ષના કેન્દ્રીય નેતાગણ નો.

હું ઘણો આભાર માનો છું અને શક્ય તેટલી પક્ષમાં વફાદારી નિભાવું છું. કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપ સાંસદ ના રાજીનામાને લઈને સી.આર.પાટીલે આપ્યું મહત્વનું નિવેદન,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*