સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ તાપમાન સામાન્ય છે અને મે મહિના માં અત્યંત ગરમીનો માહોલ હતો પરંતુ ચાલુ વર્ષે ઉનાળામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જ્યારે રાજ્યમાં એપ્રિલ મહિનામાં અંતમાં જ ચોમાસાની અસર શરૂ થઈ ગઈ છે.
વારંવાર થઇ રહેલા થન્ડરસ્ટોર્મના કારણે ખૂબ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે હજુ પણ 13 મી મે ના રોજ થન્ડરસ્ટોર્મના પ્રક્રિયાના કારણે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે.
ઉનાળામાં પણ કમોસમી અને બેવડી ઋતુને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે.
14 મેના રોજ લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ લો પ્રેસર બનવાની પ્રક્રિયા પર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યો છે. લો પ્રેશર સક્રિય થયા બાદ વાવાઝોડું સક્રિય થવાની સંભાવના છે.
વાવાઝોડું સક્રિય થયા બાદ કઈ દિશા તરફ ફનગોલાય તે મહત્વનું રહેશે. જ્યારે હાલમાં દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે જેના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
જોવા જઈએ તો સમુદ્રમાં બની રહેલા વાવાઝોડા ઓમાન તરફ જતું હોય છે. પરંતુ લો પ્રેશર માંથી વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ જ તેની દિશા નક્કી કરી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "રાજ્યના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર, અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા."