પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, મૃત્યુના બે કલાક બાદ પત્નીએ પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 3:27 pm, Thu, 19 May 22

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિથી અલગ થવાના દુઃખમાં પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિવારે સમય સાથે મહિલાનો જીવ બચાવી લીધો હતો. અને ત્યાર બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર આ ચોકાવનારી ઘટના પ્રતાપગઢની છે. જ્યાં એક 22 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ કુલદીપ હતું. આ ઘટના બન્યા બાદ કુલદીપને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બન્યા બાદ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

પતિના મૃત્યુના બે કલાક બાદ આઘાતમાં પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. મૃત્યુ પામેલા કુલદીપના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. 9 મેના રોજ પતિ અને પત્ની બંનેએ લગ્નની વર્ષગાંઠ પણ મનાવી હતી. બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ સારો હતો. કુલદીપ ટ્રેક્ટર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

મળતી માહિતી અનુસાર ઘટના બની તે દિવસે કુલદીપ મોડી રાત્રે ટ્રેક્ટર ચલાવીને ઘરે આવ્યો હતો અને 1500 રૂપિયા મજુરી પોતાના માતાના હાથમાં આપી હતી. ત્યારબાદ ઘરની પાછળ બનેલા મકાનમાં સુવા ચાલ્યો ગયો હતો. જ્યારે સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ સંબંધીઓએ જોયું ત્યારે મકાનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં કુલદીપ જોવા મળ્યો હતો.

આ ઘટના બન્યા બાદ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ત્યારબાદ મૃત્યુ પામેલી કુલદીપની પત્ની મંગળાએ સવારે 6 વાગ્યાની આસપાસ બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિવારજનોએ સમયસર આવીને મંગળાનો જીવ બચાવી લીધો હતો અને ત્યારબાદ તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઇને સંબંધીઓનું કહેવું છે કે, ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી અને કોઈપણ પ્રકારની માથાકૂટ પણ ન હતી. એટલું જ નહીં પરંતુ કુલદીપ અને મંગળા વચ્ચે પણ કોઈપણ પ્રકારના વિવાદ ન હતા.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કુલદીપ કયા કારણોસર આ પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. કુલદીપ ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, મૃત્યુના બે કલાક બાદ પત્નીએ પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*