લાલપુર જામજોધપુર પંથકના સામાજિક કાર્યકર હેમંતભાઈ ખવા પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Published on: 7:11 pm, Thu, 10 November 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. આ માનવી પાર્ટીના ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જનતા અરવિંદ કેજરીવાલની ગેરંટી ઉપર ખૂબ જ વિશ્વાસ અને આશા રાખી રહી છે. ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે વર્ષો સુધી ભાજપને મત આપ્યા પછી ગુજરાતની જનતા હવે છેતરાયેલી લાગણી અનુભવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એક વિશ્વાસનું પ્રતિક બનીને સમગ્ર ગુજરાતની અંદર ઉભરી આવ્યા છે.

વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે આ સિવાય આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતી કેટલી ગેરંટીઓ આપવામાં આવી છે. જેમ કે 300 યુનિટ મફત વીજળી, શાનદાર સરકારી શાળાઓ બનાવવાની અને મફત શિક્ષણ, દરેક સરકારી દવાખાના સારા કરવાની અને મફત આરોગ્ય સેવાઓ આપવાની, શહીદ સૈનિકોને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવાની, મહિલાઓને પણ દર મહિને 1000 રૂપિયાની સન્માન રાશિ આપવાની ગેરંટી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને આપી છે.

વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે જોધપુર માર્કેટ યાર્ડના ચેરમેન, ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ડાયરેક્ટર અને લાલપુર જોધપુર પથકના લડાયક નેતા હેમંતભાઈ ખવા અરવિંદ કેજરીવાલની જનતા માટે કામ કરવાની રાજનીતિથી પ્રભાવિત થઈને આ મારી પાર્ટીમાં જોડાયા છે. હેમંતભાઈ ખવાએ આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા ઈશુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લાલપુર જામજોધપુર પંથકના સામાજિક કાર્યકર હેમંતભાઈ ખવા પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા."

Leave a comment

Your email address will not be published.


*