નવરાત્રી ને લઈને રાજ્યએ જાહેર કરી માર્ગદર્શિકા, દરેક નિયમોનું ફરજિયાત કરવું પડશે પાલન

ટૂંક જ સમયમાં જ્યારે નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.કોરોનાવાયરસ ના પગલે જાહેર કરવામાં આવેલી તમામ માર્ગદર્શિકાનું બધા જ લોકોને ફરજીયાત પાલન કરવું પડશે. ઘરમાં માતાજીની મૂર્તિઓ બે ફૂટથી વધુ ઊંચુ ન હોવી જોઈએ અને પંડાલ ની મૂર્તિ ની ઊંચાઈ ચાર ફૂટથી ઓછી ન હોવી જોઈએ.કોરોનાવાયરસ ના કારણે જાહેર કરાયેલા તમામ નિયમો અને માર્ગદર્શિકા નું પાલન બધા જ લોકો માટે ફરજિયાત બનાવાયું છે.આ માર્ગદર્શિકા મુજબ, ઘરની અંદર સ્થાપના રે માતાજીની મૂર્તિઓ બે ફૂટથી વધુ હોઇ શકે નહીં અને પંડાલ માં મૂર્તિની ઉંચાઈ 4 ફૂટ ઓછી હોવી જોઈએ.

સાચેમહારાષ્ટ્રના ગૃહ વિભાગે કહ્યું કે, આ વખતે કોઈપણ ગરબા અને દાંડિયા કાર્યક્રમો યોજવામાં આવશે નહિ. નોંધનીય છે કે અનલૉક 4 માટે ની મર્યાદા બુધવારે પૂર્ણ થવા જઈ રહી છે.આવી સ્થિતિમાં લોકો દ્વારા એવી આશા રાખવામાં આવે છે કે મંગળવારે ગૃહ મંત્રાલય દ્વારા અનલૉક 5 ની માર્ગદર્શિકા જાહેર કરી દેશે.પશ્ચિમ બંગાળ સરકારે દુર્ગાપૂજા મહોત્સવ માટે પંડાલ સ્થાપવાની મંજૂરી પણ આપી હતી.

જોકે, મમતા સરકારે પણ પંડાલ ને ચારે બાજુથી ખુલ્લી રાખવી, ભક્તો આયોજકો અને અન્ય લોકોને માસ્ક મૂકવા,પંડાલમાં સેનીટાઇઝર ને સ્થળે રાખવાની શરતો સાથે મંજૂરી આપી છે.પરંતુ સૌથી ખરાબ સ્થિતિ એ છે કે એક સમયે 100 વધુ લોકો એક પંડાલમાં ભેગા થઈ શકે નહીં.

હિન્દુકેલેન્ડરમુજબ આ વખતે શરદ નવરાત્રિ આવતા મહિને 17 ઓક્ટોબરથી શરૂ થશે અને જે 25 ઓક્ટોબર સમાપ્ત થશે. માતાજીના નવ દિવસ સુધી પૂજા અને આરાધના કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*