માસુમ બાળકોને બચાવવા ગયેલા દાદા આખલાની અડફેટેમાં આવી જતા, દાદાનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 5:30 pm, Sun, 17 July 22

મિત્રો દિવસે ને દિવસે ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે નાના-મોટા અકસ્માત પણ સર્જાયા છે. અત્યાર સુધીમાં કેટલાય લોકો રખડતા ઢોરના કારણે ઇજાગ્રસ્ત થયા હશે અને કેટલાય લોકો પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર અંતરજાળની સોસાયટીમાં પોતાના ઘર નજીક રમી રહેલા બાળકોને આખલા અડફેટેમાં લેશે, તે વિચારે બાળકોને બચાવવા ગયેલા 65 વર્ષના દાદાને આખલાએ અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, તેથી દાદાનુ કરુણ મૃત્યુ થયું હતું.

આ ઘટના બનતા તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ સાંજે પોણા સાત વાગ્યાની આસપાસ ગાંધીધામમાં બની હતી. જેમાં 65 વર્ષે મહોબતસિંહ માધુભા રાઠોડ નામના દાદાનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

તેમના ઘર પાસે રમી રહેલા બાળકોને પાસે ઉભેલો આંખનો બાળકો ઉપર પ્રહાર કરશે, તેવું વિચારીને મહોબતસિંહ આખલાને ભગાડવા માટે ગયા હતા. આ દરમિયાન આખલો મહિપતસિંહ પર જબરદસ્ત પ્રહાર કરે છે. જેમના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતા જનતામાં ભાઈનો માહોલ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માસુમ બાળકોને બચાવવા ગયેલા દાદા આખલાની અડફેટેમાં આવી જતા, દાદાનું કરુણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*