ભ્રષ્ટ ભાજપના લોકો એ ‘આપ’ની સરકાર બનતા જ જેલમાં જવાની તૈયારી રાખવી: ઈસુદાન ગઢવી

Published on: 8:39 pm, Sun, 17 July 22

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ વિડિઓ ના માધ્યમ થી ગુજરાત ની જનતા ને સંબોધતા કહ્યું કે, એક વાર એક ખેડૂતે સુસાઈડ કરીને તેની સુસાઈડ નોટ માં એવું લખેલું કે, ઈસુદાનભાઈ ખેડૂતોનું તમે ધ્યાન રાખજો! ઈશુદાન ગઢવીએ કહ્યું કે, એ દિવસે મને ઊંઘ નહોતી આવી. ઈશુદાન ગઢવીએ ખેડૂતોને વિનંતી કરતા કહ્યું કે કોઈને સુસાઇડ કરવાની જરૂર નથી.

મેં નક્કી કરેલું કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું ખેડૂતો માટે મારું બધું જ ન્યોછાવર કરી દઈશ અને એવી વ્યવસ્થા લાગુ કરીને રહીશ જેમાં ખેડૂત ઉધયોગપતિ બની જાય. ઈશુદાન ગઢવી એ કહ્યું કે હું ખેડૂતોની તમામ પીડા જાણું છું. બસ મારી એટલી વિનંતી છે કે તમે ભાજપ ના કે કોંગ્રેસના ખેડૂત બનીને ન રહેતા, ફક્ત ખેડૂત બનીને રહેજો, હું હંમેશા ખેડૂતો ની સાથે જ છું.  ઈશુદાન ગઢવી એ કહ્યું કે, જો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડશો તો હું તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવીશ. આ ઉપરાંત ઈશુદાન ગઢવી એ કહ્યું કે, જો 5 વર્ષમાં તમારી સમસ્યાનો ઉકેલ ન આવે તો મને મત આપતા નહીં.

ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, આજે પંજાબ માં આમ આદમી પાર્ટી ની સરકાર આવી એટલે એમને જેટલા પણ પૂર્વ ધારાસભ્ય હતા એમનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું અને એ જેટલા પણ રૂપિયા બચશે એનાથી જનતા ને ફ્રી વીજળી આપવામાં આવશે. તો તમને કેવી સરકાર જોઈએ છે, જે પાર્ટી ના નેતાઓ ને સુવિધા આપે એવી કે જનતા ને સુવિધા આપે એવી?

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વા આખા દેશમાં આટલું વધી રહ્યું છે કે, પોતે વડાપ્રધાને રેવડી રેવડી કરીને કેજરીવાલજી પર કોમેન્ટ પણ કરી પડી છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે જનતાને આ ભષ્ટ ભાજપ જવાબ આપે. અત્યાર સુધીમાં ભાજપે જેટલા ભ્રષ્ટાચાર કર્યા છે અને જનતાના રૂપિયા છે હવે જનતા જાણી ગઈ છે.

વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ભાજપ વાળાઓ ભલે મને ખરાબ કહે, ભલે અરવિંદ કેજરીવાલને ખરાબ કહે, ભલે ગોપાલ ઇટાલીયા અને ખરાબ કહે, ભલે આખી આમ આદમી પાર્ટીને ખરાબ કહે પરંતુ આ વખતે જનતા ભાજપના ભ્રમમાં આવી કોઈ ખોટી વાત માનવાની નથી. ઈશુદાન ગઢવી ભાજપના ભ્રષ્ટાચારીઓને કહ્યું કે, જેવી આમ આદમી પાર્ટીની સરકાર બને એવું જ ગુજરાત છોડી દેજો અથવા તો જનતાના રૂપિયા પરત કરી દેજો અથવા તો જેલમાં જવાની તૈયારીઓ રાખજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભ્રષ્ટ ભાજપના લોકો એ ‘આપ’ની સરકાર બનતા જ જેલમાં જવાની તૈયારી રાખવી: ઈસુદાન ગઢવી"

Leave a comment

Your email address will not be published.


*