ભારત સાથે ચાલી રહેલા સરહદ તણાવ ની વચ્ચે ચીનના વિદેશ મંત્રીએ તીબેટ નો પ્રવાસ કરીને સૌને ચોંકાવી દીધા છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યિએ શુક્રવારના રોજ તિબેટ નો પ્રવાસ કર્યો જેમાં ભારત સાથે વિવાદાસ્પદ સરહદી વિસ્તારોમાં પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસ દ્વારા ચીને ભારતમાં સખ્ત સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે શનિવારના જે નિવેદન જાહેર કર્યું તેમાં ભારતનો સીધી રીતે ઉલ્લેખ નથી કર્યો. જોકે વાંગ યીના તીબેટ પ્રવાસને સામાન્ય પ્રવાસ નથી માનવામાં આવી રહ્યો ગત કેટલાક વર્ષોમાં ચીન ના કોઈ પણ સિનિયર ઓફિસરે તિબેટ ની મુલાકાત નથી કરી.
5 સ્તર ની વાર્તા છતાં ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ ઉકેલાયો નથી.વિવાદ ઉકેલવા ની જગ્યાએ આ લડાઈ હવે વેપાર, ટેકનોલોજી ,રોકાણ અને રણનીતિના ક્ષેત્રે પહોંચી ગઈ છે. ચીનનો આ પ્રવાસ પણ તેની ભૂ- રાજનીતિનો ભાગ ગણવામાં આવે છે. ચીનને હંમેશા એ ડર સતાવતો રહે છે કે ક્યાંક ભારતની મદદ લઈને તિબેટ માં અલગ વાદ ની ભાવનાઓ મજબૂત ના થઈ જાય. ઉલ્લેખનીય છે કે , લદાખ માં ભારત અને ચીની સેનાની વચ્ચે થયેલી અથડામણમાં ભારે માંગ ઉઠવા લાગી છે કે ભારતે ચીન ની વિરુદ્ધ તીબેટ કાર્ડ રમવું જોઈએ. ભારતે તિબેટ ની સમર્થન કરવું જોઈએ જેને ચીને અનેક વર્ષો પહેલાં બળપૂર્વક છીનવી લીધું હતું.
તાજેતરમાં ચીની મીડિયામાં પણ આને લઈને સંપાદકીય લેખ છપાયો હતો. જેમાં આંતરિક મુદ્દો ગણાવતા ભારતને આનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. એવામાં વાંગ નો તિબેટ પ્રવાસ વિચારેલી રણનીતિનો ભાગ છે. તીબેટ માં માનવ અધિકારો ને ફગાવતાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ના કાર્યક્રમમાં તિબેટની ઉપલબ્ધિઓ ગણાવી છે. વાગે સરહદી મૂળભૂત માળખા, ગરીબી હટાવવા સહિત અનેક પાસાંઓને ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તિબેટ પાડોશી દેશો સાથે સારા આર્થિક સંબંધોમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
Be the first to comment on "ભારત થી ડરી ગયેલા ચીન એ તાબડતોડ બદલી નાખી રણનીતિ, વર્ષોમાં પહેલી વાર ભર્યુ આવું પગલું"