બહારગામથી સુરતમાં એન્ટ્રી લેતા લોકો માટે લેવાયો મોટો નિર્ણય,જાણો

Published on: 6:15 pm, Sun, 20 December 20

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના સંક્રમણમાં વધારો થયો હતો તેથી રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રાજ્યની હોસ્પિટલમાં બેડ ની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીના કારણે રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોના નું સંક્રમણ ઘટી રહ્યુ છે.સુરત મહાનગરપાલિકા દ્વારા બીજા રાજ્યમાંથી આવતા.

લોકો ને હવે કોરોના ટેસ્ટ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.અન્ય શહેર અને રાજ્યમાંથી આવતા લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા અન્ય શહેરોમાંથી આવતા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત 72 કલાકના સમય માં તે વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તો રિપોર્ટ સાથે રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત બહારગામથી આવતા લોકોને સુરત માં પ્રવેશ પહેલા.

સુરત મહાનગરપાલિકા ની ટ્રેકર એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે અને 1800 123 8000 આ નંબર પર કોલ કરી સેલ્ફ ડિક્લેરેશન આપવા જણાવવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બહારગામથી સુરતમાં એન્ટ્રી લેતા લોકો માટે લેવાયો મોટો નિર્ણય,જાણો"

Leave a comment

Your email address will not be published.


*