ખેડૂત આંદોલનને લઈને શંકરસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું કે 25 ડિસેમ્બર સુધીમાં સરકાર નહીં માને તો…

Published on: 4:43 pm, Sun, 20 December 20

ગુજરાત રાજ્યમાં ખેડૂત આંદોલન ને ધીરે ધીરે સમર્થન મળી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આંદોલનને સમર્થન આપતા સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે.પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આંદોલનને લઇને મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.શંકરસિંહ વાઘેલાએ સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારતાં કહ્યું કે.

25 ડિસેમ્બર સુધીમાં સરકાર ખેડૂતોની માગણી નહીં સ્વીકારે તો હું દિલ્હી રાજઘાટ ખાતે અનિશ્ચિત કાળ માટે અનશન પર ઉતરીશ.અને તેમને વધારે માં કહ્યું કે ખેડૂતોને જીવતા રાખવા હોય તો કૃષિ કાયદાને મારવો પડશે.નવા ઘૂસી કાયદાના વિરોધમાં છેલ્લા ૨૫ દિવસથી ખેડૂતો આંદોલન પર બેઠા છે.

તેમ છતાં કોઈપણ પ્રશ્નનો સમાધાન આવી રહ્યો નથી ત્યારે સરકાર દ્વારા કોઇ નક્કર પરિણામ ન આવતા આખરે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને ચીમકી ઉચ્ચારી હતી.

દિવાળી બાદ ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યો હતો ખૂબ જ મહત્વની બાબત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત આંદોલનને લઈને શંકરસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું કે 25 ડિસેમ્બર સુધીમાં સરકાર નહીં માને તો…"

Leave a comment

Your email address will not be published.


*