પિતાએ પોતાની દીકરી અને દીકરાનો જીવ લઈને પોતે ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… આખી ઘટના સાંભળીને હૈયુ હચમચી જશે…

હાલમાં બનેલી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં દીકરા-દીકરી અને પિતાનું મૃતદેહ ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પિતાએ સૌપ્રથમ પોતાની દીકરી અને દીકરાને ગળાફાંસો આપીને તેમનો જીવ લઈ લીધો અને પછી પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હશે.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ છે. આ દુઃખદ ઘટના હરિયાણામાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર કરમબીર નામનો 37 વર્ષનો યુવક દિલ્હીમાં બસ ચલાવતો હતો. શનિવારના રોજ રાબેતા મુજબ તે પોતાની ફરજ બજાવીને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ કોઈ બાબતને લઈને તેને પોતાની પત્ની સાથે ઝઘડો થયો હતો.

ઝઘડો એટલો વધી ગયો કે પત્ની પોતાના પિયરમાં જતી રહી હતી. ત્યારબાદ કરમબીર, તેની 13 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો ઘરે હતા. આ ઘટનાને લઈને પરિવારના સભ્યોએ જણાવ્યું કે અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે ત્રણેયના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

પ્રાથમિક તપાસમાં તો એવું જાણવા મળી રહ્યું છે, કરમબીરે સૌપ્રથમ તેના બે બાળકોને ગળાફાંસો આપીને તેનો જીવ લઈ લીધો અને પછી પોતે ગળાફાંસો ખાઈ લીધો હશે. ઘટના બન્યા બાદ પોલીસ રાત્રે એક વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ત્રણેયના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને ઘટનાને લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

હાલમાં ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને મૃતકોના પરિવારજનોએ કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ આપી નથી. પરંતુ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*