દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું કે…

Published on: 10:29 am, Fri, 4 December 20

છેલ્લા આઠેક દિવસ થી દિલ્હીમાં આંદોલન કરી રહેલા વિવિધ રાજ્યના ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ગઈકાલે એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં ખેડૂત સંગઠનોના અગ્રણીઓ અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કેન્દ્રીય કૃષિ સચિવ ભાગ લીધો હતો. આ બેઠકના અંતે સરકારે ખેડૂતોને સ્પષ્ટ કહ્યું કે એમ એસ પી મામલે કોઈપણ પ્રકારનું પરિવર્તન થવાનું હતું.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મીટિંગ દરમિયાન વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે બે વાર ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી હતી અને જો કે સરકાર અને ખેડૂતો બંને પોતપોતાની ડિમાન્ડ પણ હજુ અડગ છે. ખેડૂતોએ સરકારને ચેતવણી આપી દીધી.

અને કહ્યું કે સરકાર હવે માત્ર કાયદાઓને પાછા લેવાની ઘોષણા નહીં કરે તો અમે આગળ મિટિંગમાં નહીં આવીએ.

 

આ મુદ્દે જોકે હજુ પણ બંને પક્ષ પોત પોતાના સ્ટેન્ડ પર અડગ દેખાઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*