ભારે વરસાદના કારણે 76 મુસાફરોથી ભરેલી બસ અચાનક ખાડામાં ખાઈ ગઈ પલટી…

Published on: 9:30 pm, Thu, 19 August 21

આજ કાલ અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે બિહારમાં એક જબરદસ્ત અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત બુધવારના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ થઇ હતી. એક બસ ફુલ ઝડપમાં જઈ રહી હતી ત્યારે બસ ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં ઘણા મુસાફરોને ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા જિલ્લાની પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

અને ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ આ ઘટનામાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ આ અકસ્માત ભારે વરસાદ પડવાના કારણે થયું છે.

બુધવારના રોજ રાત્રે મહાલક્ષ્મી ટ્રાવેલ્સ નામની એક બસ સહારાથી દિલ્હી તરફ જઈ રહી હતી તે દરમિયાન મોતીહારી-ગોપલગજ હાઈવે NH-28 પર બેલવામાધો ગામ પાસે બસ અચાનક ખાડામાં પલટી ખાઈ ગઈ હતી.

બસના એક મુસાફરે જોયું કે ભારે વરસાદના કારણે ડ્રાઈવરને બસ ચલાવવા મુશ્કેલી પડતી હતી અને ત્યારે અચાનક જ આ સમગ્ર ઘટના બની હતી બસમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો સૂતા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતા નજીકના ગામડાના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારે વરસાદના કારણે 76 મુસાફરોથી ભરેલી બસ અચાનક ખાડામાં ખાઈ ગઈ પલટી…"

Leave a comment

Your email address will not be published.


*