વીજળી પડવાના કારણે માલધારી યુવક અને 50 બકરાઓના મૃત્યુ, આખું ગામ હિબકે ચડ્યું…માલધારી સમાજમાં માતમ છવાઈ ગયો..!

Published on: 11:50 am, Mon, 12 September 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. છેલ્લા થોડા દિવસોથી વીજળી પડવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને કેટલા લોકોએ આ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં દાતા તાલુકાના માણેકનાથ ડુંગરા વિસ્તારમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. રવિવારના રોજ અહીં વીજળી પડતા જ એક માલધારી યુવક સહિત 50 બકરાઓના મૃત્યુ નીપજ્યા છે.

આ ઘટના બનવાના કારણે ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રિના સમયે બની હતી. અંધારામાં મૃતદેહને શોધવામાં ડુંગર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 23 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

જેમાં છ તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 17 જેટલા તાલુકામાં અડધા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જેના કારણે સાંજના સમયે વાતાવરણમાં એક ઠંડક પ્રસરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર 35 વર્ષે ચમનભાઈ દેવરાજભાઈ રબારી નામના માલધારી યુવક અને તેમના ભાઈ બકરા ચરાવવા રવિવારના રોજ માણેકનાથ ડુંગરા વિસ્તારમાં ગયા હતા.

આ દરમિયાન સાંજના સમયે ચમનભાઈનો ભાઈ બકરાઓ લઈને નીચે ઉતરી ઘરે પહોંચી ગયું હતું. પરંતુ ચમનભાઈ મોટી સાંજ સુધી ઘરે પરત ન આવ્યા તેથી પરિવારના લોકોએ ડુંગર વિસ્તારમાં તેમની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે વીજળી પડવાના કારણે ચમનભાઈ સહિત 50 બકરાઓને મૃત્યુ થયા છે તેવી જાણ થઈ હતી.

આ ઘટના બનતા જ પરિવાર અને ગામના લોકોમાં શોકનું મોજો ફરી વળ્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં ગામના લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. હજુ સુધી ચમનભાઈ નું મૃતદેહ ડુંગરવાળા વિસ્તારમાંથી નીચે લાવવામાં આવ્યો નથી.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. ચમનભાઈનું મૃત્યુ થતાં જ સમગ્ર માલધારી સમાજમાં પણ માતમ છવાયો હતો. આ ઉપરાંત ડેડીયાપાડા ના માલ ગામે પણ વીજળી પડી હતી. આ ઘટનામાં બે લોકોના મૃત્યુ નીપજ હતા અને પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વીજળી પડવાના કારણે માલધારી યુવક અને 50 બકરાઓના મૃત્યુ, આખું ગામ હિબકે ચડ્યું…માલધારી સમાજમાં માતમ છવાઈ ગયો..!"

Leave a comment

Your email address will not be published.


*