દેશમાં પહેલીવાર કોરોનાવાયરસ ને લઈને કંઈક નવું રૂપ બહાર આવ્યું છે. દેશની સૌથી મોટી સંસ્થા અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થા દિલ્હીમાં એડમિટ એક દર્દીને ચાર વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેના શરીરમાં કોરોનાવાયરસ ના વિરુદ્ધ એન્ટીબોડી મળી આવ્યા છે. એન્ટીબોડી ત્યારે જ મળે જયારે કોઈ માણસ કોરોનાવાયરસ થી સંક્રમિત હોય. આપ એન્ટીબોડી બનતા પાંચથી છ દિવસનો સમય લાગે છે.
દિલ્હીના અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થા માં એક મહિલા દર્દી છેલ્લા કેટલાક દિવસથી એડમિટ છે.
આ 80 વર્ષીય મહિલાને ડાયાબિટીસ હાઇપર ટેન્શન સહિત પંદર દિવસથી અનેક નબળાઈ છે. તેમને છેલ્લા ૧૨ દિવસથી ચાર વખત કોરોનાવાયરસ ના રિપોર્ટ કરવામાં આવ્યા પણ હેરાન ની વાત તો એ છે કે કોરોનાવાયરસ ના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કોરોના વિરોધ એન્ટીબોડી મળી આવ્યા છે.
આ દર્દીને કોરોના નો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કોરોના એક પણ લક્ષણ ન હોવા છતાં તેમને ડોક્ટરો દ્વારા કોરોનાવાયરસ નો ઉપચાર કરવામાં આવ્યો. યુકે ના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવતી દવા ડોક્ટર દ્વારા છેલ્લા દસ દિવસથી આપવામાં આવે છે.
Be the first to comment on "કોરોનાવાયરસ ને લઈને દેશ માટે આવ્યો મોટો ખતરો…. જાણો વિગતવાર"