મોટી દુર્ઘટના…! 50થી પણ વધારે યાત્રીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી ગઈ, 13 લોકોના કરુણ મૃત્યુ…

Published on: 12:48 pm, Mon, 18 July 22

મિત્રો આજ રોજ સવારે એક મોટી દુર્ઘટના બની છે. આ ઘટનામાં 50થી પણ વધારે યાત્રીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર 13 લોકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના ધારા જિલ્લામાં ઇન્દોર-ખરગોન વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર ઇંદોર થી પુણે જઈ રહેલી બસ સવારે 10.45 વાગ્યાની આસપાસ ધામનોદના ખલધાટ નર્મદા નદીમાં પડી હતી. મળતી માહિતી અનુસાર જ્યારે આ દુર્ઘટના બની ત્યારે બસની અંદર 50થી પણ વધારે મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં આ ઘટનામાં 13 લોકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

જેમાં આઠ પુરુષો, ચાર મહિલાઓને એક બાળકનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા લોકોની હજુ સુધી કોઈ પણ પ્રકારની ઓળખ થઇ નથી. મળતી માહિતી અનુસાર ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ 15 મુસાફરોને જીવતા બહાર કાઢવાનો દાવો કર્યો છે. ત્યારે ઘટના સ્થળ પર હાજર એમ્બ્યુલન્સના ડ્રાઇવરે જણાવ્યું કે, અત્યાર સુધીમાં એક પણ મુસાફરને જીવતો બહાર કાઢવામાં આવ્યો નથી.

મળતી માહિતી અનુસાર બ્રિજ પર એક વાહનને ઓવરટેક કરતી વખતે બસ બે કાબુ થઈ ગઈ હતી. બેકાબુ બનેલી બસ બ્રિજનું રેલિંગ તોડીને નદીમાં પડી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઉપરાંત ઘટનાની માહિતી મળતા મોટા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બસની અંદર કેટલા મુસાફરો હતા, તેના કોઈ ચોક્કસ આંકડા મળ્યા નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે 50થી પણ વધારે મુસાફરો બસની અંદર સવાર હતા. આ ઘટનામાં MH 40 N 9848 નંબરની બસ નર્મદા નદીમાં ખાબકી હતી.

એક હોટલના માલિકનું કહેવું છે કે લગભગ સવારે 9:00 વાગ્યાની આસપાસ બસ હોટલ પર રોકાઈ હતી. અહીં બસમાં સવાર 12 થી 15 મુસાફર હોય ચા નાસ્તો કર્યો હતો. બાકીના મુસાફરો બસની અંદર સવાર હતા. હોટલના માલિકનું કહેવું છે કે બસની અંદર કેટલા મુસાફરો સવાર હતા એ તો ખબર નહીં, પરંતુ 30 થી 35 જણા સવારે છે તેવું હોટલના માલિકનું કહેવું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોટી દુર્ઘટના…! 50થી પણ વધારે યાત્રીઓથી ભરેલી બસ નર્મદા નદીમાં પડી ગઈ, 13 લોકોના કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*