માતા પોતાના 2 બાળકો સાથે જીવતી સળગી ગઈ, જાણો શા માટે માતાએ આ પગલું ભર્યું – એક સાથે એક જ પરિવારના 3 લોકોના કરુણ મૃત્યુ…

Published on: 1:13 pm, Mon, 18 July 22

હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. એક માતા પોતાના બે બાળકો સાથે જીવતી સળગી ગઈ છે. જેના કારણે ત્રણેયના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલા તેના પતિ સાથે ઝઘડો કરતી હતી.

મળતી માહિતી અનુસાર શનિવારના રોજ રાત્રે મહિલાનો પતિ ફરજ પર ગયો હતો, ત્યારે મહિલાએ આ ભયંકર પગલું ભર્યું હતું. આ ઘટના છત્તીસગઢના સુરજપુર જિલ્લામાંથી સામે આવી છે. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર SECLમાં નોકરી કરતા સંજીવકુમાર ચૌધરીની પત્ની બસંતી, બે બાળકો 6 વર્ષીય હિમાચલ અને 10 વર્ષીય અનમોલ સાથે રહેતા હતા. મળતી માહિતી અનુસાર દરરોજની જેમ સંજીવ કુમાર શનિવારના રોજ પણ પોતાની ન્યાયિત ડ્યુટી પર જવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ સંજીવ કુમારની પત્ની બસંતીએ પોતાના બે બાળકો સાથે જીવતી સળગી ગઈ હતી. ઘટના બન્યા બાદ ઘરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા.

તેથી આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થઈ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેઓએ ત્રણ લોકોને સળગતા જોયા હતા. ત્યારબાદ આગ ઓલવીને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા સંજીવ કુમાર પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણેયને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન રવિવારના રોજ બપોરના સમયે ત્રણેયના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પતિ સાથેના વિવાદોનો મામલો સામે આવ્યો છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને સંજીવકુમારે જણાવ્યું કે, દરેક પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈ વિવાદો હોય છે. અમારી સાથે પણ એવું જ થતું હતું. અમારા બંને વચ્ચે ઘણા સમય પહેલા ઝઘડો થયો હતો. સંજીવ કુમારે જણાવ્યું કે મારી પત્ની મારા પર શંકા કરતી હતી. હું બહાર જાઉં ત્યારે તે મારા ઉપર શંકા કરતી હતી અને આ બાબતે મારા સાથે ઝઘડી પણ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા પોતાના 2 બાળકો સાથે જીવતી સળગી ગઈ, જાણો શા માટે માતાએ આ પગલું ભર્યું – એક સાથે એક જ પરિવારના 3 લોકોના કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*