ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, અનેક પાકોના ભાવ માં થયો મોટો ઉછાળો

Published on: 3:37 pm, Sun, 20 September 20

રાજ્યમાં 19 સપ્ટેમ્બરના રોજ જુવારના સૌથી વધારે ભાવ પાટણના સિદ્ધપુરમાં, કપાસના અમરેલીમાં, ઘઉં અને બાજરીના જંબુસરમાં, જૂનાગઢના માંગરોળમાં મગફળીના સૌથી વધુ વેચાણ ના ભાવ બોલાયા હતા.સિધ્ધપુર એપીએમસીમાં જુવારના 3750 થી 4150, અમરેલી એપીએમસીમાં કપાસના 3500 થી 5145, મહેસાણાના કડીમાં ચોખાના 1550 થી 2220 અને ભાવમાં વધારાને કારણે ખેડૂતોને ખૂબ જ લાભ થઈ શકે છે વરસાદના કારણે પગ બગડી ગયો તેમાં પણ સુધારો થઇ શકે છે.

મગફળીના સૌથી વધુ ભાવ જૂનાગઢના માંગરોળમાં 5375 થી 5550 સુધીના ભાવ બોલાયા છે. ભરૂચના જંબુસર મા બાજરી નો ભાવ 1800 થી 2200 અને ઘઉંનો ભાવ 2000 થી 2400 બોલાયો હતો.હાલમાં શાકભાજીના ભાવમાં થતો સતત ઉછાળાના કારણે કઠોળમાં ભારે મોટી માંગ જોવા મળી રહી છે.

આ ચોમાસા દરમ્યાન ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે. આ બધાની વચ્ચે હાલમાં ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર એ છે.

દરેક માર્કેટયાર્ડમાં દરેક પાક ના ભાવમાં સતત મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા મોટાપાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, અનેક પાકોના ભાવ માં થયો મોટો ઉછાળો"

Leave a comment

Your email address will not be published.


*