ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર,ખાતર ના ભાવ ને લઈને દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા

Published on: 4:34 pm, Mon, 25 October 21

ખેડૂતોએ કહ્યુ કે NPK 1 હજાર 185 ની જગ્યાએ 1 હજાર 440 ના નવા ભાવ સાથે વેચાઈ રહ્યું છે.એટલે કે બેગ પર 255 રૂપિયાનો વધારો યથાવત્ છે.ખેડૂતોએ દાવો કર્યો છે કે કોઈ ભાવવધારો પાછો નથી ખેંચાયો. તમામ ઇફફો ના ખાતરના ભાવમાં વધારો હજુ પણ યથાવત છે.

ત્યારે આ અંગે ઇફ્કો નો ચેરમેન દિલીપ સંઘાણીએ જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસ 27 વર્ષથી સત્તાથી દૂર છે એટલે આવા મુદ્દા ઉઠાવે છે. ખાતરમાં રો મટીરીયલ ના ભાવ વધ્યા છે. સરકાર ખાતર પર એક લાખ કરોડની ખેડૂતોને સબસીડી આપે છે. હાલમાં 1800 રૂપિયા જેટલી સબસિડી અપાય છે.

ખાનગી કંપનીઓના ખાતરના ભાવ ઇફ્કો ના નામે ચડાવે છે.ભાવ વધતાં સરકારે સબસીડી વધારે છે અને યુરિયા કે DAP માં એક પણ રૂપિયો વધારયો નથી.ભારત સરકારની ઉચ્ચ કક્ષાની મીટિંગમાં નિર્ણય લેવાયો છે. જૂના ભાવે જે ખાતર મળતું હતું તે જ ભાવે મળશે.

સરકાર ખેડૂતો પર વધારાનો કોઇ બોજ નહીં પડવા દે, મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કંપનીઓને ભાવવધારો પરત ખેંચવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જો કે બનાસકાંઠાના ખેડૂતો દ્વારા આરોપ કરાયો છે જેને લઇ હવે ફરી ખાતરના ભાવને લઇને સવાલો ઉઠયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર,ખાતર ના ભાવ ને લઈને દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા"

Leave a comment

Your email address will not be published.


*