સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વિજયભાઈ રૂપાણીને પક્ષદ્વારા મોટી જવાબદારી અપાઈ શકે છે. સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે કેન્દ્રમાં પણ વિજયભાઈ રૂપાણીને મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે.
વિજયભાઈએ રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે ઘટના બની હતી તેને હુ ખૂબ જ સહજ રીતે જોવું છું.આ કંઈ આશ્ચર્યજનક ઘટના છે એવું કંઈ જ નથી.પાંચ વર્ષ હાઈકમાન્ડ દ્વારા મને જે તક આપવામાં આવી તે બદલ નરેન્દ્ર ભાઈ અને અમિતભાઈનો આભાર માનું છું.
ગુજરાતની જનતાની સેવા કરવાની મને તક આપી અને રાજીનામું આપવાનો કોઈ રંજ પણ નથી અને સંતોષ પણ નથી.વિજય ભાઈએ કહ્યું કે હુ મુખ્યમંત્રી હતો ત્યારે પણ CM હતો અને આજેપણ CM જ રહીશ. કારણકે CM નો અર્થ થાય છે કોમન મેન તો અત્યારે પણ CM છું અને ભવિષ્યમાં પણ CM જ રહીશ.
વધુમાં તેઓએ કહ્યું હતું કે, પાર્ટી એ કહ્યું કે આપણે પરિવર્તન કરી રહ્યા છીએ તો સ્વાભાવિક પરિવર્તનની પ્રક્રિયા છે. આવો નિર્ણય માત્ર ભારતીય જનતા પાર્ટી જ લઈ શકે અન્ય કોઈ ન કરી શકે.હાઇકમાન્ડ નો આદેશ મળ્યો અને મે તેનું પાલન કર્યું છે અને રાજીનામું આપ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!