ગુજરાત માં આંશિક લોકડાઉન વચ્ચે આ મહાનગરના વેપારીઓએ વેપાર-ધંધા શરૂ કરવા દેવાની ઉઠી માંગ.

Published on: 3:40 pm, Fri, 7 May 21

ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકારે 36 શહેરોમાં મીની લોકડાઉન લગાવી દીધું છે ત્યારે વડોદરા માં વેપારીઓએ વેપાર-ધંધા શરૂ કરવાની માંગ કરી છે. શહેરના સમા વિસ્તાર માં વેપારીઓએ વેપાર ધંધા શરૂ કરી દેવા માંગ કરી છે.

લેડીઝ ટેલર, હોમ એપ્લયાન્સ, હેર સલૂન શરૂ કરવા દેવા માંગ કરવામાં આવી છે. વેપાર-ધંધા બંધ થતા લોકો પરેશાન છે. દુકાન ભાડા, મકાનના હપ્તા કેવી રીતે ભરવા તે સમસ્યા છે.

સરકારે લોકડોઉન નથી આપ્યું તેમ છતાં ધંધા બંધ હોવાથી કફોલી હાલત થઈ ગઈ છે. દિવસ દરમિયાન મર્યાદિત સમય માં રોજગાર ચાલુ કરવા દેવાની માંગ ઉઠી છે.

બેકરી ચાલુ રાખવા દઈ સરકાર બર્થ ડે ઊજવવાની મંજૂરી આડકતરી રીતે આપી છે. રાજકોટમાં લાખાજી રાજ વેપારીઓએ વિરોધ કર્યો હતો.

લોકડાઉન ને લઈને અલગ અલગ વિરોધ જોવા મળ્યો હતો. કેટલાક વેપારીઓ દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરવામાં આવી હતી.

જ્યારે કેટલાક વેપારીઓએ દુકાનો ખોલવાની પણ માંગ કરી હતી.હાલ લોકડાઉન ને લઈને આર્થિક સ્થિતિ નબળી હોવાથી વેપારીઓ રોષે ભરાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત માં આંશિક લોકડાઉન વચ્ચે આ મહાનગરના વેપારીઓએ વેપાર-ધંધા શરૂ કરવા દેવાની ઉઠી માંગ."

Leave a comment

Your email address will not be published.


*