રાજ્યમાં આંધી વંટોળ અને પવનના સુસ્વાટા સાથે વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી,જાણો વિગતે

આ વર્ષે કાળઝાળ ગરમી પડશે તેવી ચેતવણી તો આપવામાં આવી છે પરંતુ એક બાજુ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કશ્મીરમાં ભારે હિમ વર્ષાથી જનજીવન થપ થઈ ગયું છે તો બીજી બાજુ ગુજરાતમાં માર્ચની શરૂઆતથી જ વરસાદ પડી રહ્યો છે અને ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ઘણું નુકસાન પહોંચાડેલું છે.

માવઠા બાદ ઠંડીનું જોર પણ છેલ્લા બે ત્રણ દિવસથી વધ્યું છે અને વહેલી સવારે ઠંડીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે જ્યારે બપોરે થોડા સમય ગરમી લાગી રહી છે અને અત્યારે શિયાળ ઉનાળો કે ચોમાસુ ત્રણેયની મિક્સ ઋતુ જોવા મળી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે

કે શિવરાત્રીના તહેવાર સુધી ઠંડા પવન ફૂંકાશે અને ગુજરાતીઓએ ખાસ સાવધાન રહેવું પડશે.8 માર્ચ થી 12 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને જ્યોતિષશાસ્ત્રના મતે બદલાતા ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ આગાહી કરી રહ્યા છે અને તેમની સિવાય હવામાન મિશ્રા અંબાલાલ પટેલે પણ વાતાવરણમાં પલટાની આગાહી કરી છે.

શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુકા છે ને બીજું વેસ્ટન ડીસ્ટર્બન્સ 8 માર્ચ અને ત્રીજું 11 થી 12 માર્ચ દરમિયાન આવશે.ફાગણ ક્ષેત્ર અને વૈશાખમાં પવનની ગતિ રહેશે અને આંધી વંચોળ પવનના સુસ્વાટા સાથે કમોસમી વરસાદ કરા પડવાની સ્થિતિ રહી શકે છે આ ઉપરાંત તેમને જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળે તેવી સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*