પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ બાદ અમદાવાદીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર.

Published on: 9:36 am, Sun, 1 November 20

કોરોના મહામારી ના કારણે અમદાવાદ નો જીવ ગણાતો કાંકરિયાને પણ ગ્રહણ લાગ્યું હતું. સરકાર દ્વારા અર્થતંત્રને પાટે ચડાવવા માટે ધીરે ધીરે અનલૉક ના ફેઝ પ્રમાણે છૂટછાટ આપવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે હાલમાં અમદાવાદીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.1 નવેમ્બર 2020 થી એટલે કે આજરોજ થી કાંકરિયા લેક ફ્રન્ટમાં બાળકો માટે રાઇડર્સ શરૂ કરવામાં આવી રહી છે.

આ  આવતા અમદાવાદીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.અનલૉક ની આ સ્થિતિમાં કાંકરિયા લેક ખાતે લોકોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોના ની માર્ગદર્શિકા સાથે કાંકરિયા લેફફન્ટ માં બાળકો માટે રાઇડર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં લેસર શો, નોકરેટલ ઝુ અને બોટિંગ શરૂ થશે.

બલુન, નાની રાઇડર્સ,ફૂડ કોર્ટ અને ફૂડ સ્ટોલ ચાલુ થશે. કાંકરિયામાં અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં નહીં આવે. જોકે કાંકરિયામાં બે મોટા એમ્યુજમેન્ટ પાર્ક શરૂ નહીં થાય.

આ દરમિયાન મુલાકાતીઓએ સોશીયલ ડિસ્ટન્સ જાળવવું અને ફરજિયાત પણે માસ્ક પહેરવાનું રહશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ બાદ અમદાવાદીઓ માટે આવ્યા મોટા ખુશીના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*