લગ્નના 26 દિવસ બાદ પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો, ત્યારબાદ પત્નીના મૃતદેહને કોથળામાં નાખીને એવું કર્યું કે…ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

Published on: 6:25 pm, Wed, 23 November 22

મિત્રો હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નના 26 દિવસ બાદ એક પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા આજે ચારેબાજુ ડરનો માહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ જેનીફર હતું અને તેની ઉંમર 32 વર્ષની હતી. જ્યારે તેના પતિનું નામ મુકેશ સિંધી હતું અને તેની ઉંમર 34 વર્ષની હતી.

મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે મુકેશ અને જેનીફર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા મુકેશે જેનીફરનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પોતાની પત્નીના મૃતદેહને એક કોથળામાં પેક કર્યું અને મુકેશ તે કોથળ સ્કુટી પર લઈ જતો હતો. રસ્તામાં એક મહિલાએ મહિલાનું મૃતદેહ કોથળામાં જોયું હતું.

ત્યારબાદ મહિલાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આરોપી પતિ જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેને પોતાના ઘરે પોલીસને જોઈ હતી અને તે પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી મળતી માહિતી અનુસાર હજુ સુધી પોલીસને મહિલાનું મૃતદેહ મળ્યું નથી. આ ચોકાવનારી ઘટના અજમેરની છે.

સમગ્ર ઘટનાને લઈને પડોશીએ જણાવ્યું કે, સવારે લગભગ 11:00 વાગ્યાની આસપાસ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારે મહિલા સોરી કહી રહી હતી કે હવે હું આવું નહીં કરું. પછી બંનેનો ઝગડવાનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો. થોડીક વાર પછી મહિલાનો પતિ ઘરની બહાર નીકળે છે અને તે પોતાની સાથે એક કોથળો લઈને ઘરની બહાર નીકળ્યો હતો.

જ્યારે તે કોથળો સ્કુટી પર મુકવા જાય છે ત્યારે તેના હાથમાંથી તે કોથળો પડી ગયો હતો. ત્યારે પડોશમાં રહેતી મહિલાએ કોથળાની અંદર એક મહિલાનું મૃતદેહ જોયું હતું. ત્યારબાદ તેને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. થોડીક વાર બાદ મુકેશ કોથળો ફેંકીને ઘરે પહોંચ્યો ત્યારે તેને પોતાના ઘરે પોલીસને જોઈ હતી. પોલીસની જોઈને તે ત્યાંથી ભાગી ગયો હતો.

પરંતુ પોલીસે તેને કલેકટર કચેરી નજીક ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપીએ કહ્યું કે તેને પોતાની પત્નીનો જીવ લીધો છે અને તેનું મૃતદેહ પુષ્કરમાં ફેંકી દીધું છે. હાલમાં પોલીસ જેનિફરના મૃતદેહ ની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર બંનેએ 26 દિવસ પહેલા આંતરજાતીય લગ્ન થયા હતા. આ લગ્નમાં બધા પાડોશીઓ પણ જોડાયા હતા. લગ્ન બાદ પતિ પત્ની ઘરની બહાર નીકળતા ન હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નના 26 દિવસ બાદ પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો, ત્યારબાદ પત્નીના મૃતદેહને કોથળામાં નાખીને એવું કર્યું કે…ઘટના સાંભળીને કાળજુ કંપી ઉઠશે…"

Leave a comment

Your email address will not be published.


*