ગાંધીનગરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. ગાંધીનગરના રાયપુર સાપફન પાસેની નર્મદા કેનાલમાં ગામનો એક યુવાન કુદી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ યુવાને પોતાના ચાર વર્ષના અને છ વર્ષના બાળકો સાથે નર્મદા કેનાલમાં મૃત્યુની છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર પોતાના બે બાળકો સાથે જીવ ટુંકાવા માટે નર્મદા કેનાલ પર પહોંચેલા યુવાને સૌ પ્રથમ એક વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ પોતાના બાળકો સાથે નર્મદા કેનાલમાં કૂદી ગયો હતો. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે નાના દીકરા આરોનું મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યું હતું.
આજરોજ બીજા દીકરા ઋષભ અને પિતાનું મૃતદેહ મળી આવ્યું છે. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. યુવકે મૃત્યુ પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને તેમાં કહ્યું હતું કે, મારી ત્રણેય બેન આ બધા વચ્ચે ભાઈ ફસાઈ ગયો હતો. એટલે દરેક થી પણ કઈ થાય એવું નથી. આ બધી તો નસીબની વાત છે. મારા છોકરાની મમ્મીને દિલ નથી અને એણે મને કીધું કે તારે જે કરવું હોય એ કર હું મજાથી જીવું છું.
એણે મને છેલ્લો જવાબ આપ્યો કે, તું માર તોય મારે શું. વધુમાં યુવકે જણાવ્યું કે દરેકને અલવિદા… મારી દક્ષા બહેનને મેં સવારે ફોન કર્યો પણ બહેનને તો ખબર જ ન હતી કે ભાઈ છેલ્લી વખત ફોન પર વાત કરી રહ્યો છે. આ ઉપરાંત યુવકે વીડિયોની અંદર પોતાની ઘણી બધી આપવીતી જણાવી હતી. છેલ્લે યુવકે કહ્યું હતું કે મળશું હવે આવતા જન્મમાં કોઈ એવા સંજોગોમાં…
ત્યારબાદ યુવક પોતાના બે બાળકો સાથે નર્મદા કેનાલમાં કૂદી ગયો હતો. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વિનોદ હતું. પોતાના બે બાળકોને લઈને નર્મદા કેનાલ પાસે પહોંચ્યો હતો ત્યાં સૌપ્રથમ તેને પોતાની આપવીતીનો એક વિડીયો બનાવ્યો અને ત્યારબાદ પોતાના બંને બાળકો સાથે નર્મદા કેનાલમાં કૂદી ગયો હતો.
પિતાએ વીડિયો બનાવીને પોતાના બે બાળકો સાથે નર્મદા કેનાલમાં મૃત્યુની છલાંગ લગાવી, ત્રણેયના કરુણ મોત… જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો… pic.twitter.com/3rOAWVYXyx
— GUJJU ROCKZ (@gujju_rockz) November 23, 2022
આ ઘટનામાં ત્રણેયના મોત થયા છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને વિડિયો ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર લગ્નજીવનથી કંટાળીને વિનોદે પોતાના બે બાળકો સાથે આ પગલું ભર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "પિતાએ વીડિયો બનાવીને પોતાના બે બાળકો સાથે નર્મદા કેનાલમાં મૃત્યુની છલાંગ લગાવી, ત્રણેયના કરુણ મોત… જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…"