37 લોકોથી ભરેલું એક ટ્રેક્ટર બેકાબુ થઇ જતા પલટી ખાઈ ગયું, અકસ્માતમાં 4 બાળકો સહિત 11 લોકોના મૃત્યુ…

Published on: 9:47 am, Sat, 16 October 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગઈકાલે યુપીના ઝાંસીમાં એક મોટી દુર્ઘટના બની છે. મળતી માહિતી અનુસાર અહી દર્શન માટે જતા શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર બેકાબૂ થતા પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં 11 લોકોના મૃત્યુ થયા છે.

જેમાં 4 બાળકો અને 7 મહિલાઓનો સમાવેશ છે. અન્ય અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવી જાણકારી સામે આવી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના ઝાંસીના ચિરગાંવ ભાંદેર રોડ પર બપોરે દોઢ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર ટ્રેક્ટરમાં 37 જેટલા લોકો સવાર હતા.

જ્યારે ટ્રેક્ટર રસ્તા પર જઈ રહ્યું હતું ત્યારે અચાનક જ એક ગાય સામે આવી ગઈ હતી. પરિણામે ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર એક ખેતરમાં પલટી ખાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અંદાજે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને 4 બાળકો અને 7 મહિલાઓના મૃત્યુ થયા છે. આ સમગ્ર ઘટનાને લઇને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસન અધિકારીઓને દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેના નિર્દેશો આપ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`

Be the first to comment on "37 લોકોથી ભરેલું એક ટ્રેક્ટર બેકાબુ થઇ જતા પલટી ખાઈ ગયું, અકસ્માતમાં 4 બાળકો સહિત 11 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*