સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન પર એક વ્યક્તિને ટ્રકે લીધો અડફેટેમાં, યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ…

Published on: 2:57 pm, Tue, 7 September 21

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે સુરેન્દ્રનગરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેશન પાસે ટ્રકે અડફેટેમાં આવતા એક યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર યુવક બસ સ્ટેશન ઉપર પાણીની બોટલ અને પાઉચ વેચતો હતો. યુવકના પરિવારને મૃત્યુની ખબર પડતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના મુખ્ય બસ સ્ટેશન પાસે ટ્રકની અડફેટે માં એક યુવક આવી ગયો હતો અને તેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર ટ્રક ચાલક ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

આ ઘટના બનતા જ લોકોના ટોળા ટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા સીટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ફરાર ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન પર એક વ્યક્તિને ટ્રકે લીધો અડફેટેમાં, યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*