મજૂરી કામ કરીને ઘરે જઈ રહેલા શ્રમિકને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, સારવાર દરમિયાન શ્રમિકનું કરૂણ મૃત્યુ…

Published on: 10:43 am, Sat, 30 April 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં આખા ને આખા પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર વરતેજના આર.કે.ગોડાઉન સામે મજૂરી કામ કરીને ઘરે જઈ રહેલા શ્રમિકને અજાણ્યા વાહને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં શ્રમિકનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટનામાં વરતેજ ગામમાં રહેતા 48 વર્ષીય લલિતભાઈ અર્જુનભાઈ રાઠોડનું કરૂણ મૃત્યુ થયું છે. લલીતભાઈ ગઈકાલે સાંજે મજૂરી કામ કરીને ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેમને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં લલીતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે 108 મારફતે ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન લલિત ભાઈનું મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાને લઇને મુકેશભાઈ અર્જુનભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે. મુકેશભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. લલિત ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મજૂરી કામ કરીને ઘરે જઈ રહેલા શ્રમિકને અજાણ્યા વાહનચાલકે લગાવી જબરદસ્ત ટક્કર, સારવાર દરમિયાન શ્રમિકનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*