ડોકટરની બેદરકારીના કારણે 13 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો – જાણો સમગ્ર ઘટના…

Published on: 10:22 am, Sat, 30 April 22

હાલમાં બનેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ડોક્ટરની ભૂલના કારણે 13 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટના બાડમેરમાં બને છે. દીકરાનું મૃત્યુ થતાં પરિવારજનોએ ડોક્ટર અને કમ્પાઉન્ડર બેદરકારીના આક્ષેપ કર્યા છે. આ ઘટનાને લઈને પોલીસે હજુ સુધી કેસ નોંધાયો નથી.

મળતી માહિતી અનુસાર 13 વર્ષે અશોક કુમારના બાળકના મોઢા પર વધારે પ્રમાણમાં ખીલ હતા. તેથી ઈલાજ માટે સરકારી દવાખાને ગયા હતા. આ દરમિયાન ત્યાં હાજર ડોક્ટરે એક સાદા કાગળ પર ઇન્જેક્શન લખી આપ્યું હતું. મળતી માહિતી અનુસાર ડોક્ટરે લખેલા બંનેએ ઇન્જેક્શન ખાનગી મેડિકલ માંથી લઈને ફરીથી સરકારી દવાખાને આવ્યો હતો.

ત્યારે ડોક્ટરે બાળકને ઇન્જેક્શન લગાવવા માટે કમ્પાઉન્ડ પાસે મોકલ્યો હતો. બંને ઇન્જેક્શન લાગ્યા બાદ બાળકની તબિયત લથડી ગઇ હતી. ધીમે ધીમે બાળકના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. આ ઘટના બન્યા બાગ બાળકને સારવાર માટે એમ્બ્યુલન્સમાં બાડમેર મોકલવામાં આવ્યો હતો.

ત્યાં હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે, ડોક્ટર અને કમ્પાઉન્ડરની વેદર કાઢીના કારણે 13 વર્ષના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરની ધરપકડ કરવામાં આવે અને તેને સસ્પેન્ડ કરવામાં આવે. 13 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ડોકટરની બેદરકારીના કારણે 13 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*