ખેતીકામ કરતા યુવકે પંખા સાથે ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો શું છે સુસાઈડ પાછળનું કારણ…

Published on: 10:37 am, Mon, 14 August 23

દેશભરમાં સુસાઈડની ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પછી તો પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વારંવાર લેણદારોના ફોન આવવાના કારણે યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ મનીષ હતું અને તે ખેતીકામ કરતો હતો. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. આ ઘટના શનિવારના રોજ રાત્રિના સમયે બની હતી. મનીષે રાત્રે પોતાના રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો મનીષને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મનીષને મૃત જાહેર કર્યો હતો. પછી તો ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે મનીષના પરિવારે લગભગ બે લાખ રૂપિયાની લોન લીધી હતી. આ માટે લોનના આપતા જમા કરાવવા માટે વારંવાર લેણદારોના ફોન આવતા હતા.

જેનાથી મનીષ ખૂબ જ કંટાળી ગયો હતો. આ કારણોસર મનીષે સુસાઇડ કર્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. ઘટના બનતા જ મનીષના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતીકામ કરતા યુવકે પંખા સાથે ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો શું છે સુસાઈડ પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*