રાજકોટમાં 53 વર્ષના વ્યક્તિનું અચાનક જ હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન… 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાતમાં સતત હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે. રાજકોટમાં 58 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર ગાંધીગ્રામ ગોવિંદનગરમાં રહેતા 53 વર્ષના વ્યક્તિ પોતાના ઘરે હતા. ત્યારે અચાનક જ તેઓ બેભાન થઈ રહ્યા હતા. પછી તેમને પરિવારના સભ્યો સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વ્યક્તિની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પછી મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટ મોટો માટે મોકલી આપ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ પરસોતમભાઈ રતિભાઈ જાદવ હતું. પરસોતમભાઈ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. ત્યારે અચાનક જ તેઓ બેભાન થઈ ગયા હતા. એટલે પરિવારના સભ્યો દોડીને પરસોતમભાઈ પાસે પહોંચ્યા હતા અને તેમને ઉપાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું હોસ્પિટલમાં પરસોતમભાઈ ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ બે દીકરા અને બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરસોતમભાઈ સેન્ટીંગનું કામની મજૂરી કરતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*