સવારે પરિવાર સાથે ચા-નાસ્તો કર્યા બાદ 40 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાયો…

Published on: 4:32 pm, Thu, 16 November 23

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેકના બનાવો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલાયે લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં એક પછી એક વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ રહ્યું છે.

ત્યારે સાબરકાંઠામાં બનેલી એક હાર્ટ એટેક ની ઘટના સામે આવી રહી છે.સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુરાના 40 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મુકેશભાઈ મણીભાઈ પટેલ હતું.

મુકેશભાઈનું મોત થતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાયો છે. મળતી માહિતી અનુસાર મુકેશભાઈ રાત્રે પોતાના પરિવારના સભ્યો સાથે ભોજન કર્યું હતું અને પછી સુઈ ગયા હતા. ત્યારબાદ સવારે પરિવાર સાથે ચા નાસ્તો કર્યા બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

એટલે પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. જ્યાં ખાનગી હોસ્પિટલમાં હાજર ડોક્ટરે મુકેશભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

મુકેશભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધી હોસ્પિટલ ખાતે પહોંચે આવ્યા હતા. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સવારે પરિવાર સાથે ચા-નાસ્તો કર્યા બાદ 40 વર્ષના વ્યક્તિનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*