અકસ્માતમાં બ્રેઈનડેડ થયેલા પુરાણસિંહના અંગદાનના કારણે જામનગરમાં રહેતા 14 વર્ષના બાળકને મળ્યું નવું જીવન દાન…

Published on: 6:37 pm, Sat, 19 March 22

આપણે બધાને ખબર છે કે દુનિયાની સૌથી મહત્વનું દાન એટલે અંગદાન, આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે આપણે ઘણા લોકોને જોતાં હોઈએ છીએ જે તેમના અંગનું દાન કરીને બીજા લોકોને નવું જીવન દાન આપતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જે કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર પુરાણસિંહ નામના યુવકનો 13 માર્ચના રોજ ગંભીર અકસ્માત થયો હતો. ત્યારબાદ પુરાણસિંહને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પુરાણસિંહની સારવાર ચાલી રહી હતી.

એવામાં ડૉક્ટર દ્વારા પુરાણસિંહને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરે મૃત્યુ પામેલા પુરાણસિંહના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ મૃત્યુ પામેલા પુરાણસિંહના પરિવારજનોએ અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. પુરાણસિંહનું હદય, લીવર અને કિડનીનું દાન કરાયું છે.

પુરાણસિંહના અંગદાનના કારણે જામનગરમાં રહેતા 14 વર્ષના બાળકને એક નવું જીવતદાન મળ્યું છે. પુરાણસિંહનું હદયનું ટ્રાન્સપ્લાન્ટ આ બાળકમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પુરાણસિંહનું લીવર અને કિડની બીજા લોકોને આપીને તેમને નવું જીવન દાન આપવામાં આવ્યું હતું.

અંગદાન ની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય પ્રથમ આવે છે. ખાસ કરીને અમદાવાદની સિવિલમાં અંગદાનના કિસ્સાઓ વધી રહ્યા છે. પુરાણસિંહના પરિવારજનોએ પુરાણસિંહનું અંગદાન કરીને બીજા લોકોને નવજીવન આપીને માનવતાની મહેક ઊભી કરી છે.

અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 129 જેટલા અંગદાન કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પુરાણસિંહ રાજસ્થાનનો રહેવાસી હતો. પુત્રના મૃત્યુના કારણે પરિવારમાં દુઃખ છે પરંતુ તેમના પરિવારે પુત્રનું અંગદાન કરીને માનવતાની મહેક ઊભી કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અકસ્માતમાં બ્રેઈનડેડ થયેલા પુરાણસિંહના અંગદાનના કારણે જામનગરમાં રહેતા 14 વર્ષના બાળકને મળ્યું નવું જીવન દાન…"

Leave a comment

Your email address will not be published.


*