મંદિરે દર્શન કરીને ઘરે જતા એક જ પરિવારના 3 સભ્યોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… માતા-પુત્ર અને ભત્રીજાનું કરુણ મોત…

Published on: 11:15 am, Sun, 3 September 23

દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે શનિવારના રોજ બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાણવા મળી રહ્યો છે કે મૃત્યુ પામેલા ત્રણેય લોકો એક જ પરિવારના હતા. મૃતકોમાં માતા-પુત્ર ઉપરાંત એક ભત્રીજાનો સમાવેશ થાય છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ લોકોને એક ઝડપી કારે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય લોકોના અકસ્માતની ઘટનામાં દર્દનાક મોત થયા છે. આ કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના રાજસ્થાનના અલવારમાં શનિવારના રોજ મોટી સાંજે બની હતી.

અકસ્માત આટલો ભયંકર હતો કે રોડ મોતની ચીસો ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર એક બાઈક પર સવાર ત્રણ લોકો સાંજના સમયે ભૈરુબાબાના મંદિરેથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં એક ઝડપી કારે તેમને ઉડાડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર 25 વર્ષીય ચેતરામ, 30 વર્ષીય મહિલા શ્રીદેવી અને તેના આઠ વર્ષના દીકરા ઈશાંતનું મોત થયું હતું. મૃત્યુ પામેલો ચેતરામ મહિલા શ્રીદેવીનો ભત્રીજો થાય છે. મૃત્યુ પામેલો ચેતરામ માતા પિતાનો એકનો એક દીકરો હતો.

જ્યારે આઠ વર્ષનો ઈશાંત પણ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા આખું ગામ હિબકે ચડ્યું છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના શનિવારના રોજ મોડી સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી. જાણવા મળી રહ્યો છે કે અકસ્માતની ઘટનામાં 8 વર્ષના ઇશાંત અને 25 વર્ષના ચેતરામનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણેયના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મંદિરે દર્શન કરીને ઘરે જતા એક જ પરિવારના 3 સભ્યોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… માતા-પુત્ર અને ભત્રીજાનું કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*