કેન્દ્રની મોદી સરકારે બહાર પાડ્યો 100 રૂપિયા નો સિક્કો, જાણો શું છે સિક્કાની ખાસિયત

Published on: 10:27 am, Tue, 13 October 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયારાજે સિંધિયા ના જન્મ શતાબ્દી પર 100 રૂપિયાના સ્મારક સિક્કા અનાવરણ કર્યું છે. કેન્દ્ર સરકાર તરફથી રાજમાતા સિંધિયાના સન્માન આ સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,પાછલા શતાબ્દીમાં ભારતને દિશા આપનાર અમુક વ્યક્તિત્વમાંથી રાજમાતા વિજયારાજે સિંધિયા પણ સામેલ હતા. તેઓ માટે વાત્સલ્યમૂર્તિ જોતા પણ નિર્ણાયક નેતા પણ હતા અને કુશળ પ્રશાસક પણ હતા.

સ્વતંત્રતા આંદોલન આઝાદીના આટલા દર્શકો સુધી ભારતીય રાજકારણના દરેક અગત્યના પડાવ ના તેઓ સાક્ષી હતા. આઝાદી પહેલા વિદેશી વસ્તુઓ ની હોળી કરવાથી લઈ ઇમરજન્સી અને રામ મંદિર આંદોલન સુધી રાજમાતા ના અનુભવો વ્યાપક વિસ્તાર રહ્યો છે.સો રૂપિયાના સ્મૃતિ સિક્કાને નાણામંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

નાણામંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સિક્કાની બંને બાજુ ખાસ ડિઝાઇન કરવામાં આવી છે અને સિક્કાની એક બાજુ રાજમાતા વિજયારાજે સિંધિયા ની તસ્વીર છે. બીજી તરફ હિન્દીમાં શ્રીમતી વિજયા રાજે સિંધિયા ની જન્મ શતાબ્દી લખ્યું છે.

નીચેની બાજુએ અંગ્રેજીમાં લખ્યું છે અને એ બાજુ તેમની જન્મનું વર્ષ પણ લખ્યું છે.આ સિક્કાની બીજી બાજુ હિન્દી અને અંગ્રેજીમાં ભારત લખ્યું છે તો સાથે અશોકનું ચિહ્નો પણ બન્યું છે. તે તરફ જ નીચે સો રૂપિયા લખ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકારે બહાર પાડ્યો 100 રૂપિયા નો સિક્કો, જાણો શું છે સિક્કાની ખાસિયત"

Leave a comment

Your email address will not be published.


*