દિલ્હીમાં કેજરીવાલે લીધા 10 મોટા નિર્ણયો, જાણો કયા કયા.

Published on: 11:54 am, Tue, 13 April 21

દિલ્હીમાં કોરોનાવાયરસ ના કેસ વધતા કેજરીવાલ સરકાર દ્વારા વધુ કડક નિયમો કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોના ની પરિસ્થિતિ ને દિવસે ને દિવસે વધુ વણસતી દેખાઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર બાદ દિલ્હીના લઈને સરકાર વધુ ચિંતિત થઈ રહી છે.

આવામાં દિલ્હી માં સંક્રમણ વધતા કેજરીવાલે 30 એપ્રિલ સુધી વધુ પ્રતિબંધ લગાવ્યા છે. અરવિંદ કેજરીવાલ હાલની પરિસ્થિતિ ને જોતા દિલ્હીમાં નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે.

દિલ્હીમાં સામાજિક, રાજકીય, રમત અને તમામ ધાર્મિક સભાઓ પર રોક લગાવવામાં આવી છે. અંતિમ સંસ્કારમાં 20 લોકો અને લગ્નમાં 50 લોકોને સામેલ થવાની પરવાનગી આપી છે.

દિલ્હીમાં એન્ટ્રી માટે 72 કલાક પહેલા નો  રિપોર્ટ જરૂરી છે. મહારાષ્ટ્ર થી નેગેટિવ રિપોર્ટ વિના 14 દિવસ કવોરન્ટાઇન કરાશે. સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ ઈવેન્ટ મંજૂરી પરંતુ દર્શકો નહીં આવી શકે.

દિલ્હીમાં રેસ્ટોરન્ટ અને બાર માં 50 ટકા લોકોને પરવાનગી અપાશે. સિનેમા, મલ્ટિપ્લેકસમાં પણ 50 ટકા લોકોને પરવાનગી આપવામાં આવશે.

મેટ્રો અને બસમાં 50 ટકા લોકો યાત્રા કરી શકશે. દિલ્હીમાં શાળા અને તમામ કોલેજો હાલમાં બંધ રહેશે. દિલ્હીમાં કોરોના નું સંક્રમણ વધતા 30 એપ્રિલ સુધી ઉપર જણાવ્યા મુજબના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિલ્હીમાં કેજરીવાલે લીધા 10 મોટા નિર્ણયો, જાણો કયા કયા."

Leave a comment

Your email address will not be published.


*