રાજ્યના આ જગ્યાએથી ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, જાણો વિગતે.

Published on: 11:22 am, Tue, 13 April 21

ગુજરાતમાં ફરી એકવાર કોરોના ની લહેર ફરી વળી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ ઝપેટમાં આવી ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી માં ભાજપના નેતાનું કોરોના થી મોત થતાં પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી ફરી વળી છે.

મળતી માહિતી પ્રમાણે લીંબડી નગરપાલિકાના ભાજપના સદસ્યને કોરોના થી મોત નિપજ્યું છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થયેલા.

વોર્ડ નંબર 5 ના નગરસેવક ડાયાભાઈ નું મોત નિપજતા ઝાલાવાડ ભાજપમાં શોક ની લાગણી ફરી વળી છે.નોંધનીય છે કે ગઈકાલે રાજ્યમાં સૌથી વધારે 6021 નવા કેસ નોંધાયા છે.

જયારે વધુ 55 લોકોના મૃત્યુ થયા છે.ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સોથી વધુ કેસ છે.રાજ્યમાં ફૂલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યા છે.

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ફૂલ 85,37,367 લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,12,678 લોકોને કોરોના ની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આમ ફૂલ 93,50,045 લોકોને રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.અત્યાર સુધી માં રાજ્યમાં એક પણ વ્યક્તિ આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના આ જગ્યાએથી ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*