એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચેના તણાવ દરમિયાન ચીન તરફથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે. હવે ચીન ડો.દ્વારકનાથ કોટનીસની કાંસાની પ્રતિમા સ્થાપિત કરવા જઈ રહ્યું છે. ઉત્તર ચીનના એક મેડિકલ કોલજમાં આવતા મહિને આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે, જ્યાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ ડો.કોટનીસની હાલની પ્રતિમાની સામે તબીબી સેવા માટેની શપથ લે છે.
ડોક્ટર કોટનીસને ચીનમાં ‘કે દિહુઆ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની કાસ્યની પ્રતિમા શિજિયાઝુઆંગની મેડિકલ કોલેજમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. ચીનમાં, ડો.દ્વારકનાથ કોટનીસને ચીની ક્રાંતિ માટેના યોગદાન અને કોઈપણ સ્વાર્થ વિના ચાઇનીઝ નાગરિકોની સારવાર માટે યાદ કરવામાં આવે છે. ડો.દ્વારકનાથ કોટનીસના ચીની ક્રાંતિના નેતા માઓ જેડોંગે પણ વખાણ કર્યા હતા. 1942 માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમના મૃત્યુ સુધી તેમણે ચીનીઓની સારવાર ચાલુ રાખી.
ડો.દ્વારકનાથ કોટન મહારાષ્ટ્રના સોલાપુરના હતા. તેઓ 1938 માં ચીન જતા 5 સભ્યોના ડોકટરોની ટીમમાં હતા, જેને કોંગ્રેસે ચીની લોકોની મદદ માટે મોકલ્યો હતો. 1942 માં તેમણે કમ્યુનિસ્ટ પાર્ટી ચાઇનાનું સભ્યપદ લીધું હતું. જોકે, તે જ વર્ષે તેમનું અવસાન થયું. તેમના મૃત્યુ સમયે, ડો.દ્વારકનાથ કોટનીસ માત્ર 32 વર્ષનાં હતાં.
ડો.દ્વારકનાથ કોટનીસે 1941 માં ચીનના ગુઓ કિંગલાન સાથે લગ્ન કર્યા. જેનું વર્ષ 2012 માં અવસાન થયું હતું. ડો.દ્વારકનાથ કોટનીસની પ્રતિમાઓ ચીનના ઘણા શહેરોમાં સ્થાપિત છે. ડો.કોટનીસ પછી શીજીયાઝુઆંગ મેડિકલ કોલેજનું નામ ‘કે દિહુઆ મેડિકલ સાયન્સ સેકન્ડરી સ્પેશિયલાઇઝ સ્કૂલ’ રાખવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!