રામ રાખે તેને કોણ ચાખે : અમદાવાદ-મુંબઈ હાઈવે પર એક બેકાબૂ ટ્રકે કારને લગાવી જબરદસ્ત ટક્કર, 5 લોકોનો ચમત્કારિક બચાવ…

Published on: 9:53 am, Fri, 4 February 22

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર મુંબઈના કલ્યાણ થી સોનગઢ લગ્ન પ્રસંગમાં જઇ રહેલા પરિવારને નેશનલ હાઇવે 48 પર સિસોદરા ગામ પાસે અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં પરિવારના તમામ સભ્યો નો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી અનુસાર મુંબઈ-અમદાવાદ હાઈવે પર એક ટ્રક ચાલક બેકાબુ બનીને ટ્રક ચલાવી રહ્યો હતો.

તેમ તેને એક કારને અડફેટમાં લીધી હતી. આ ઘટનામાં કારને સારું એવું નુકશાન પહોંચ્યું હતું. ઉપરાંત કારમાં સવાર પરિવારના પાંચ સભ્યોનો ચમત્કારી બચાવ થયો છે.

સમગ્ર ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં પરિવારના સભ્યોને નાની-મોટી ઇજા પહોંચી છે.

તેઓની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ કારને ટો કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે : અમદાવાદ-મુંબઈ હાઈવે પર એક બેકાબૂ ટ્રકે કારને લગાવી જબરદસ્ત ટક્કર, 5 લોકોનો ચમત્કારિક બચાવ…"

Leave a comment

Your email address will not be published.


*