સૌરાષ્ટ્ર યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી વખતે કાર ડિવાઇડર સાથે અથડાતા એક જ પરિવારના 2 લોકોના મૃત્યુ, 10 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:25 am, Fri, 27 August 21

અકસ્માતની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અકસ્માતમાં એક જણા ની બેદરકારી ના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે તેવી જ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર ની યાત્રા પૂર્ણ કરીને ભાભર પરત ફરી રહેલા એક પરિવાર નો અકસ્માત થયો છે.

મળતી માહિતી મુજબ અકસ્માત રાત્રી દરમિયાન શંખેશ્વરની રૂપેણ નદીના પુલના ડિવાઈડર સાથે અચાનક અથડાઈ હતી. જેમાં કાર ચાલક ના પરિવારના બે લોકોના મૃત્યુ થયા છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાભરમાં રહેતું પરિવાર મોડી રાત્રે સૌરાષ્ટ્રની યાત્રા કરીને મોડી રાત્રે ઘરે પરત કરતું હતું. ત્યારે લગભગ બે વાગ્યાની આસપાસ શંખેશ્વર ની રૂપેણ નદીના પુલ પાસે કારચાલકે કાર પર કાબુ ગુમાવ્યો હતો.

અને કાર ફૂલના ડીવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારનો ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા.

અને ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત આસપાસના લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ અકસ્માતમાં અરજણભાઈ રામજીભાઈ માળી અને ધુંડીબેન શામજી માળી મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્ર યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી વખતે કાર ડિવાઇડર સાથે અથડાતા એક જ પરિવારના 2 લોકોના મૃત્યુ, 10 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*