આ યુવકનો 4 તોલાનો સોનાનો ચેન ખોવાઈ ગયો, ત્યારે આ યુવકે માં મોગલને યાદ કર્યા અને યુવકને તેનો ચેન મળી ગયો, ત્યાર બાદ યુવક 21,000 રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યો ત્યારે…

Published on: 5:01 pm, Mon, 16 May 22

માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય ત્યારે માં મોગલ ના નામની જો માયા બંધાઈ જાય તો માં મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થાય છે અને ભક્તોના અટવાયેલા તમામ કાર્ય પણ પૂર્ણ થાય છે.

માં મોગલ પર દિલથી શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે એટલે માં મોગલ ની તમામ મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે કહેવાય છે કે માં મોગલ ના પરચા થી 60 વર્ષે પણ મોગલે માં મોગલ પર વિશ્વાસ રાખનાર ને દીકરા દીધા છે.

ત્યારે એવો જ એક પરચો જેમાં એક યુવક માં મોગલ ધામ માં મોગલ ની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો. કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ એ એક યુવક તેનો 4 તોલાનો સોનાનો દોરો ખોવાઈ ગયો હતો. સોનાનો દોરો ખોવાઈ જતાં ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો.

અને તેણે તેને શોધવાનો પણ ઘણો પ્રયત્ન કર્યો છતાં મળ્યો નહિ અને અંતે માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માની હતી. જે તરત જ માં મોગલ સાંભળી અને યુવક માં મોગલ ની માનતા પુરી કરવા મોગલધામ આવી પહોંચ્યો. કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ ના મંદિરે ‌ મણીધર બાપુ પણ બિરાજમાન છે.

ત્યારે યુવકે મણીધર બાપુના આશીર્વાદ લીધા, ત્યારે મણીધર બાપુ એ તેને પૂછ્યું કે શેની માનતા માની હતી. ત્યારે યુવકે કહ્યું કે મારો ચાર તોલાનો સોનાનો દોરો ખોવાઈ ગયો હતો. જે મળી જશે તો હું મોગલ ને 21,000 રૂપિયા અર્પણ કરીશ ત્યારે માં મોગલ પર વિશ્વાસ હોવાના કારણે મારું કામ પૂર્ણ થયું.

મણીધર બાપુએ કહ્યું કે 21000 માંથી સાડા દસ હજાર રૂપિયા તારી બહેન ને આપજે અને સાડા દસ હજાર તું તારી દીકરી ને આપજે માં મોગલ તારી માનતા દસ ગણી માનતા સ્વીકાર કરશે અને માં મોગલ તો રાજી થઈ જશે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ યુવકનો 4 તોલાનો સોનાનો ચેન ખોવાઈ ગયો, ત્યારે આ યુવકે માં મોગલને યાદ કર્યા અને યુવકને તેનો ચેન મળી ગયો, ત્યાર બાદ યુવક 21,000 રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યો ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*