ઈશુદાન ભાઈના નેતૃત્વમાં અમે સૌ ખૂબ જ મહેનત કરીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું : ગોપાલ ઇટાલીયા

Published on: 5:50 pm, Sat, 5 November 22

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ગઈકાલે ખુશીનો ઉત્સાહ અને ગર્વ લઈ શકાય એવું ઐતિહાસિક દિવસ હતો. ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા માન્ય ઈશુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

જ્યારથી એમના નામની જાહેરાત થાય છે, ત્યારથી અત્યાર સુધી લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો. લાખો વોટ્સએપ મેસેજ, લાખો ફેસબુક મેસેજ, કોમેન્ટ અને ફોન કોલેજ દ્વારા હજારો લાખો લોકોએ આ નિર્ણયને વધાવી લીધો અને આમ આદમી પાર્ટીને અભિનંદન પણ પાઠવ્યા અને આમ આદમી પાર્ટીનો આભાર પણ માન્યો કે પાટીએ આટલો સારો નિર્ણય લીધો.

હાલો વધુમાં ગોપાલ ઇટાલીયા એ જણાવો કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું જ થયું જ્યાં જનતાને પૂછવામાં આવ્યું. અત્યાર સુધી ભાજપ દ્વારા ગુજરાત પર જબરજસ્તીથી મુખ્યમંત્રી થોભી બેસાડતા હતા. પહેલી વખત પૂછવામાં આવ્યું કે જનતા કોને મુખ્યમંત્રી તરીકે માંગે છે અને કોને પોતાનો પ્રેમ આપવા માંગે છે?

ત્યારબાદ 17 લાખથી પણ વધારે લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો અને એના આધારે આમ આદમી પાટીએ આ નિર્ણય લીધો. ગુજરાતના ખેડૂતોએ, વેપારીઓએ, યુવાનો શહીદ તમામ વર્ગના લોકોએ આ નિર્ણયને વધાવી લીધો. હું ફરી એક વખત ઈશુદાન ગઢવી ને શુભેચ્છા પાઠવું છું. એમના નેતૃત્વમાં અમે સૌ ખૂબ જ મહેનત કરીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઈશુદાન ભાઈના નેતૃત્વમાં અમે સૌ ખૂબ જ મહેનત કરીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું : ગોપાલ ઇટાલીયા"

Leave a comment

Your email address will not be published.


*