અનલૉક 5 ની માર્ગદર્શિકા જાહેર, આ વસ્તુ માં સરકાર આપશે છૂટછાટ

Published on: 10:36 pm, Wed, 30 September 20

કોરોના મહામારી ના પગલે દેશમાં લાગુ કરાયેલા અનલૉક ને તબક્કાવાર ખોલવાની કવાયત ચાલુ કરવામાં આવી છે. તેના અનુસંધાનમાં સરકાર દ્વારા આજરોજ અનલૉક 5 ની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા 15 ઓક્ટોબરના રોજ કેટલા પ્રકારની છૂટછાટ આપવામાં આવી રહી છે.ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર, દેશમાં 1 થી 31 ઓક્ટોબર સુધી અનલૉક 5 ની માર્ગદર્શિકા ના નિયમોનું પાલન કરવું પડશે.

ઓક્ટોબરથી સરકારના નિયમ નું પાલન સાથે સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, સ્પોર્ટ પર્સન માટે સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક ફરીથી ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે પાળવામાં આવતા SOP ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે અને સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય જે તે રાજ્યની સરકાર નક્કી કરશે.

સિનેમા અને મલ્ટીપ્લેક્ષ હોલમાં 50% ની કેપિસિટી સાથે ખોલવામાં આવશે. આ મુદ્દે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ માર્ગદર્શિકા જાહેર કરશે. બિઝનેસ થી બિઝનેસ એક્ઝિબિશન ને 15 ઓક્ટોબરથી પરવાનગી આપવામાં આવશે.

સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં સૌથી વધારે લોકોને અનુમતિ આપી તે અંગે રાજ્ય સરકાર નિર્ણય કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અનલૉક 5 ની માર્ગદર્શિકા જાહેર, આ વસ્તુ માં સરકાર આપશે છૂટછાટ"

Leave a comment

Your email address will not be published.


*