શું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા આ પક્ષ પલટુ નેતાઓની ટિકિટ કપાશે?જાણો શું કહેવું છે ભાજપના સૂત્રોનું?

Published on: 9:40 am, Thu, 1 October 20

ગુજરાત રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બર ને રોજ યોજવાની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપ કોને કોને ટિકિટ આપશે તે વિષય ને લઇને તમામ ની નજર ત્યાં છે. ભાજપનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આઠ ધારાસભ્યો માંથી ત્રણ ધારાસભ્યોને તેમની ટિકિટ નહીં મળે.ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ ડાંગ, લીંબડી અને ગઢડાના મતવિસ્તારોમાં પક્ષ પલટુ ને ટિકિટ નહીં આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

આપને જણાવી દઇએ કે, લીમડી બેઠક પરથી સોમાભાઈ ગાડા ભાઈ પટેલ, ગઢડા બેઠક પરથી પ્રવીણ મારુ, ડાંગ બેઠક પરથી મંગળ ગાવિત ની ટીકીટ આ વખતે કપાય તેવું માનવામાં આવી રહ્યું છે.આ બેઠક પર ટિકિટ મેળવવા ભાજપના દાવેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.ભાજપ અને કોંગ્રેસમાંથી આવેલા નેતાની ન આપી ટિકિટ.

ડાંગ બેઠક માટે કોંગ્રેસ છોડનારા પૂર્વ ધારાસભ્યો મંગલ ગાવિત અને સોમાભાઈ પટેલ હજી કેસરીયો ખેસ પહેર્યો નથી અને ભાજપમાં જોડાયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પક્ષ પલટુ કરનાર ને ટિકિટ આપવાની અનિચ્છા દર્શાવી છે.

પરંતુભાજપના સૂત્રો જણાવ્યા મુજબ કોંગ્રેસના પાંચ પક્ષ પલટો ની ટિકિટ ની પુષ્ટિ થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા આ પક્ષ પલટુ નેતાઓની ટિકિટ કપાશે?જાણો શું કહેવું છે ભાજપના સૂત્રોનું?"

Leave a comment

Your email address will not be published.


*