રાજ્ય સરકારે ફી માફીને લઈને કરી મોટી જાહેરાત, આટલા ટકા માફ થશે ફી

રાજ્યની ભાજપ સરકારે લાંબા સમયથી અટવાયેલા ફી મામલે આજરોજ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ફીમાં 25 ટકા માફ કરવાની જાહેરાત કરી છે. તેમજ ઇતર પ્રવૃત્તિઓ અંગે કોઈ પણ પ્રકારની ફી નહીં લેવાનું એલાન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણય ગુજરાત રાજ્ય સહિત તમામ બોર્ડ તથા CBSE ને પણ લાગુ પડશે.બુધવારે ગાંધીનગરમાં આ કેબિનેટની બેઠકમાં ફી ઘટાડા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વાલીઓની 100 ટકા ફી માફીની માંગ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓમાં 25 ટકાની રાહત આપવામાં આવશે.જે વાલીઓએ આ વર્ષની ફી ભરી દીધી તેમને સરભર કરી દેવામાં આવશે. નિર્ણય વિદ્યાર્થી માટે ખૂબ જ ફાયદાકારક છે.

કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે,કોંગ્રેસ દ્વારા એક સત્રની ફી માફ કરવા માંગ કરવામાં આવી હતી પણ.

સરકારે ખાનગી શાળાઓનો ફાયદો જોતાં માત્ર 25 ટકા ફીમાં રાહત આપી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*